Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજતંત્ર દ્વારા અક્કલનું પ્રદર્શન...!
જામનગરમાં ગ્રેઈન માર્કેટ, ત્રણ દરવાજા પાસે, ખાંડ બજારના પ્રવેશ પાસેના વીજપોલમાં તસ્વીરમાં દેખાય છે તેવું વીજ વપરાશ દર્શાવતું મીટર ફીટ કરવામાં આવ્યું છે. ખાંડ બજારમાં આવતા ભારે વાહનો આગળ-પાછળ કરવા માટ રિવર્સમાં લેવા હોય ત્યારે એવું પણ બને કે જરા જેટલી ચૂક થઈ જાય તો ભારે વાહનનો પાછળનો ભાગ સીધો જ વીજ મીટર સાથે અથડાઈ જાય અને તેના કારણે એવું પણ બને કે વાહનને કરન્ટ પણ લાગે ! ગ્રેઈન માર્કેટમાં કામ અર્થે આવતા નાના નાના વાહનોને પણ કરન્ટ લાગવાનો ભય રહે છે. વીજ કંપની દ્વારા ઉપરોક્ત સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવું જરૂરી છે કારણ કે, હાલમાં વરસાદની સિઝન શરૂ થઈ ગઈ હોવાના કારણે વીજશોક લાગવાના ઘણાં બનાવો બને છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial