Advertisement
Author: નોબત સમાચાર

ટેન્કરના ઠાઠામાં મોટર ઘૂસી જતાં ધ્રોલના યુવાનના મૃત્યુના કિસ્સામાં કરાઈ ફરિયાદ

જાયવાથી લૈયારા વચ્ચે સર્જાયો હતો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૯ : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાયવા ગામથી લૈયારા વચ્ચે શુક્રવારે સાંજે એક મોટર આગળ જતા ટેન્કરના ઠાઠામાં ઘૂસી હતી. આ અકસ્માતમાં મોટરચાલક ધ્રોલના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ટેન્કરના ચાલકે મૃતક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલથી આગળના જાયવા ગામથી લૈયારા ગામ વચ્ચે ગયા શુક્રવારે સાંજે ચારેક વાગ્યે ધ્રોલના રહેવાસી અરબાઝભાઈ મુસ્તાકભાઈ તાયાણી (ઉ.વ.૨૬) નામના યુવાન પોતાની જીજે-૧૦-ડીઈ  ૪૨૮૪ નંબરની ક્ીયા કંપનીની સેલ્ટોઝ મોટર લઈને જતા હતા ત્યારે લૈયારા ગામથી આગળ વન વિભાગની વીડી પાસે આગળ દોડયા જતા જીજે-૩-બીડબલ્યુ ૧૫૧૬ નંબરના ટેન્કરની પાછળ પોતાની મોટર ટકરાવી હતી.

આ અકસ્માતમાં અરબાઝભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ હતું. આ બનાવ અંગે ટેન્કરના ચાલક મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના પુરામોહબ્બત ગામના વતની અતુલ રામમુરત યાદવે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક અરબાઝભાઈ મુસ્તાકભાઈ તાયાણી સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh