Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ અંગેની ફરિયાદ રદ્દ કરવા હાઈકોર્ટ દ્વારા કરાયો આદેશ

સગીરા તથા યુવકે કરી લીધા લગ્નઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના એક શખ્સ સામે સગીરાના અપહરણની ફરિયાદ કરાઈ હતી. આ શખ્સે તેની સાથે સગીરા પુખ્ત થયા પછી લગ્ન કરી લીધા હતા. ઉપરોક્ત ફરિયાદ રદ્દ કરાવવા હાઈકોર્ટમાં કવોસીગ પીટીશન કરાતા અદાલતે આ ફરિયાદ રદ્દનો હુકમ કર્યાે છે.

જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રીનો ઈન્સ્ટાગ્રામથી આશિષ મનોજભાઈ કણઝારીયા સાથે સંપર્ક થયા પછી આ સગીરાનું અપહરણ કરી લેવાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે બીએનએસ તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ત્યારપછી આ સગીરા પુખ્ત વયની થઈ જતા આશિષે તેણી સાથે લગ્ન કરી લીધા હતા અને પતિ-પત્ની તરીકે બંને સાથે રહેતા હતા તે પછી આરોપી આશિષ કણઝારીયાએ આ ફરિયાદ રદ્દ કરવા હાઈકોર્ટમા ક્વોસીગ પીટીશન કરતા અદાલતે તેની સામેની ફરિયાદ રદ્દ કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ હિતેશ સોનગરા, મીત પાનસુરીયા, ચિરાગ સોનગરા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh