Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આસી. ચેરિટી કમિશનર સમક્ષ રજૂ થઈ વાંધા અરજીઃ
જામનગર તા. ૫ઃ જામનગરના ઓશવાળ રાહત અને શિક્ષણ સંઘની ગયા માર્ચ મહિનામાં યોજાયેલી ચૂંટણી પછી પાંચ ટ્રસ્ટીની નિયુક્તિ કરવામાં આવી હતી. તે નિયુક્તિ સામે વાંધો લઈ ૪૧ આસામીએ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના આસી. કમિશનર સમક્ષ રજૂઆત કરી છે, ફેરફાર રિપોર્ટ સામે સખત વાંધો રજૂ કર્યાે છે.
જામનગરના ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના બંધારણમાં કરવામાં આવેલા પ્રબંધ મુજબ દેશના કોઈપણ શહેર કે ગામમાં વસવાટ કરતા જ્ઞાતિજનો પ્રત્યેક ૨૦૦ જ્ઞાતિજનની સંખ્યામાં એક પ્રતિનિધિ ચૂંટીને મોકલી શકે છે અને તે પ્રતિનિધિ બે વર્ષની મુદ્દત ધરાવતા હોય છે. આ રીતે સંઘ લોકશાહી ઢબે ચલાવવામાં આવે છે. તે દરમિયાન ગયા માર્ચ મહિનામાં સંઘની મળેલી સામાન્ય સભામાં ટ્રસ્ટીઓની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાંચ ટ્રસ્ટી ચૂંટવામાં આવ્યા હતા.
આ પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવી નથી તેવી રજૂઆત આસી. ચેરીટી કમિશનર સમક્ષ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયા મુજબ અમૂક પ્રતિનિધિ ચૂંટણી પ્રક્રિયાથી અને મતદાનથી અળગા રહ્યા હતા. તે ઉપરાંત ચૂંટણી યોજવા અંગે જ્ઞાતિજનો સમક્ષ જાહેરાત પણ કરવામાં આવી ન હતી.
આવી પરિસ્થિતિમાં માર્ચ મહીનામાં યોજાયેલી ચૂંટણીમાં વરણી પામેલા ટ્રસ્ટીઓના નામ પીટીઆર પર દાખલ કરવા ફેરફાર રિપોર્ટ રજૂ થયો હોય તો તે રિપોર્ટ સામે પણ વાંધો લેવામાં આવ્યો છે. વાંધેદારોને સાંભળ્યા વગર કોઈપણ પ્રકારનો નિર્ણય ન કરવા માગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રફુલ્લ નાથાલાલ માલદે, સુધીર હીરજી શાહ, કેવીન મોહન ગાલા, ઓતમચંદ રાયશી હરણીયા તથા ૪૧ સદસ્યોએ વાંધા અરજી રજૂ કરી છે. ત્યારે તે અરજી રજીસ્ટરે નોંધવા આદેશ કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial