Advertisement
Author: નોબત સમાચાર

બોટાદના ગોધવરા ગામ પાસે કોઝ-વે પર પાણીના પ્રવાહમાં કાર તણાઈ જતાં દૂર્ઘટના

બીએપીએસના ૭ હરિભકતોમાંથી બેના મૃત્યુ

                                                                                                                                                                                                      

બોટાદ તા. ૧૪ઃ બોટાદના ગોધવટા ગામ પાસે કાર તણાઇ ગઇ હતી. કારમાં સવાર સાત હરિભક્તો તણાયા હતા. જેમાંથી કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસીયા (આશરે ૧૦ વર્ષ)ના મોત નિપજ્યા છે, ચારનો આબાદ બચાવ થયો છે, જ્યારે હજુ એક ગુમ છે. ઘટનાની સ્થાનિક રેસ્ક્યુની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોચીએ ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ નજીક આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં એક કોઝ-વે પાર કરતી વખતે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બે હરિભક્તોના કરુણ મરણ થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. સદનસીબે, કારમાં સવાર અન્ય ચાર લોકોને આબાદ બચાવી લેવાયા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, આ સંતો બોચાસણથી સાળંગપુર તરફ જઈ રહૃાા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. ભારે વરસાદને કારણે કોઝ-વે પર પાણીનો પ્રવાહ તેજ હતો, જેના કારણે કારે કાબૂ ગુમાવતાં પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ચાર વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ બે હરિભક્તોને બચાવી શકાયા ન હતા. હાલ બરવાળાના મામલતદરા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલ ગુમ સ્વામીની શોધખોળ ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh