Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાંત અધિકારીઓ પોત પોતાના વિસ્તારમાં પુલીયા જોવા નીકળ્યાઃ "ગંભીરા ઈફેક્ટ" !
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ-પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લગત વિભાગોને સૂચના આપવામાં આવી છે. જે અન્વયે રોડ રસ્તા રિપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જામનગર જિલ્લામાં પણ એક સપ્તાહ સુધી ઝુંબેશના ભાગરૂપે અલગ-અલગ પુલોની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા અને તેમની ટીમ દ્વારા ખીજડીયા, લોઠીયા, નાની માટલી તથા જામનગર તાલુકામાં અન્ય જે જગ્યાઓ પર બ્રિજ આવેલ છે ત્યાં સ્થળ મુલાકાત લઈ જાત ચકાસણી કરી હતી. લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર દ્વારા લાલપુર તાલુકાના અલગ-અલગ બ્રિજ, પોરબંદર જામનગર હાઈ-વે પરના તથા ખંભાળીયા-લાલપુર-કાલાવડ હાઈવે પર આવેલા પુલોની મુલાકાત કરી લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓની આ મુલાકાત દરમ્યાન માર્ગ અને મકાન વિભાગના ઈજનેરો, મામલતદાર તેમજ અન્ય ટીમોએ હાજર રહી પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી ચકાસણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial