Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ-ર૦રપ નું આયોજન

માર્કશીટ સાથે ૧૦ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા સંગઠનના તમામ સભ્યોના બાળકો માટે તા. ૩૧-૮-ર૦રપ ને રવિવારના સરસ્વતી સન્માન સમારોહ-ર૦રપ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એલ.કે.જી. અને યુ.કે.જીના તમામ બાળકો તથા ધો. ૧ થી ૯ મા ૮૦ ટકા કે તેથી વધુ અથવા એ ગ્રેડ કે તેથી વધુ અને ધો. ૧૦ થી ૧ર મા ૬૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર તેમજ ઉચ્ચ ડીગ્રી કે ડીપ્લોમાના અંતિમ સેમેસ્ટરની પરીક્ષા (વર્ષ ર૦ર૪-રપ) પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ આ સમારોહમાં ભાગ લઈ શકશે. આ અંગેના ફોર્મ મેળવીને માર્કશીટ સાથે તા. ૧૦-૮-ર૦રપ સુધીમાં પરત કરવાના રહેશે.

ફોર્મ લેવા-પરત કરવા માટે અને સભ્ય ફી ભરવા તેમજ વધુ વિગત માટે (૧) ભાગ્યોદય મેડિકલ સ્ટોર, અવંતિકા કોમ્પલેક્ષ, લીમડાલાઈન, ક્રિકેટ બંગલા સામે, (ર) શિવ આઈસ્ક્રીમ પ/૧, પટેલ કોલોની, બ્રાહ્મણ બોર્ડિંગ સામે, (૩) શ્રીજી એન્ટરપ્રાઈઝ, જે/૮, નવો હુડકો, હરસિદ્ધિ માતાજી મંદિર રોડ, રણજીતસાગર, (૪) ડો. કિશન કારિયા, ડેન્ટલ ક્લિનિક, નંદનવન સોસાયટી, શેરી નં. ૪, રજીણસાગર રોડ, જામનગરનો સંપર્ક કરવા સંસ્થા પ્રમુખ જયેશ મહેતા, મંત્રી શૈલેષ કારિયા તથા પ્રોજેક્ટ ચેરમેન ભાવેશ કટારિયાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh