Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કહેવાતા ક્લિનિકમાંથી દવા, સાધનો ઝબ્બેઃ
જામનગર તા. ૨૩: જામજોધપુરના સડોદર ગામમાં એક શખ્સ તબીબ ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી પરથી ધસી ગયેલી એસઓજી ટીમે આ શખ્સના કહેવાતા દવાખાનામાં દરોડો પાડ્યો હતો. બોગસ તબીબના ક્લિનિકમાંથી દવા, સાધનો કબજે કરી લેવાયા છે અને ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
જામજોધપુર તાલુકાના સડોદર ગામનો એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં દર્દીઓને તપાસી દવા, ઈન્જેક્શન આપતો હોવાની બાતમી એસઓજીના દિનેશ સાગઠીયા, નવલભાઈને મળતા ગઈકાલે બપોરે પીઆઈ બી.એન. ચૌધરીની સૂચનાથી પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે સડોદર ગામમાં દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલી ગ્રામ પંચાયત કચેરીવાળી શેરીમાં સંજય દિનેશભાઈ ટીલાવત નામના શખ્સના કહેવાતા દવાખાનામાં ચકાસણી કરાઈ હતી. તે દવાખાનામાં બહાર ડો. એસ.એસ. અગ્રાવતનું બોર્ડ મારેલું હતું. એસઓજીએ ત્યાં તપાસ કરતા આ શખ્સ તબીબ ન હોવા છતાં અજાણ દર્દીઓને ચકાસી દવા આપતો હોવાનું જણાઈ આવ્યું હતું. સ્થળ પરથી દવા, ઈન્જેક્શન તથા અન્ય તબીબી સાધનો કબજે કરાયા છે અને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં સંજય ટીલાવત સામે ગુન્હો રજીસ્ટર કરાવાયો છે. આ શખ્સ મૂળ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના સગારીયા ગામનો વતની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial