Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃદ્ધના પુત્રએ નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૩: જામનગરના ખંભાળિયા રોડ પર સરમત ગામ પાસે રવિવારે બપોરે એક વૃદ્ધને મોટરે ઠોકર મારતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગર-ખંભાળિયા રોડ પર સરમત ગામમાં રહેતા નારૂભા દોલુભા જાડેજા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ રવિવારે બપોરે બેએક વાગ્યે સરમતના પાટીયા પાસેથી પોતાના ખેતર તરફ ચાલીને જતા હતા.
આ વેળાએ જીજે-૧૦-ડીઈ ૩૪૧૧ નંબરની સ્વીફ્ટ મોટર પુરપાટ ઝડપે ચલાવીને નીકળેલા સરમત ગામના કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ આ વૃદ્ધને ઠોકરે ચઢાવ્યા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા નારૂભાને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર નરેન્દ્રસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial