Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના સુપ્રસિદ્ધ શિરેશ્વર લોકમેળામાં પ્લોટ/સ્ટોલની હરાજીઃ ૮૬.૯પ લાખની આવક

શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા મેળાના પ્લોટોની હરાજીઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧રઃ ખંભાળિયા નજીક શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે શિરેશ્વર મહાદેવનો લોકમેળો યોજાય છે.

શક્તિનગરમાં ગ્રામ પંચાયત દ્વારા મેળાના પ્લોટોની જાહેર હરાજી રાખવામાં આવી હતી. સવારના ૧૧ થી બપોર સુધી પ્લોટની હરાજી ચાલી હતી, જેમાં કુલ ૧૬પ પ્લોટની હરાજી થઈ હતી, જેના રૂ. ૮૬.૯પ લાખ જેવી આવક થઈ હતી. સૌથી વધુ એક પ્લોટના ર.૭પ લાખ અને સૌથી ઓછા એક પ્લોટના ૧૧,૧૦૦ ઉપજ્યા હતાં. આઠ પ્લોટોને પોલીસ ચેકીંગ, હોસ્પિટલ સેવા માટે રીઝર્વમાં રાખવામાં આવ્યા છે.

ગત્ વખતે ૮૦ લાખ રૂપિયા પ્લોટની હરાજીના ઉપજ્યા હતાં, જ્યારે આ વખતે ૮૬.૯પ લાખની મોટી રકમની આવક થઈ છે.

સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ મેળો

આગામી તા. ર૬/૮ થી તા. ર૯/૮ સુધી ચાર દિવસ સુધી ચાલનારા આ મેળાનું લોકોમાં ભારે આકર્ષણ રહે છે. કેમ કે સૌરાષ્ટ્રમાં આ છેલ્લો મેળો હોય, તમામ સ્થળેથી ચકડોળવાળા આ મેળામાં આવતા અવનવી રાઈડ આ મેળાનું ખાસ આકર્ષણ છે. જો આ મેળામાં ખાણીપીણી તથા દેશી રમતો સાથે આ મેળો રાત્રિ મેળા તરીકે પણ જાણીતો છે.

આ વખતે પણ ચાર દિવસ યોજાનાર આ લોકમેળાની લોકો ખૂબ આતૂરતાપૂર્વક રાહ જુએ છે. સરપંચ પૂનમબેન નકુમ, અગ્રણીઓ બાબાભાઈ નકુમ, રાજપૂત સમાજના અગ્રણી જાડેજા વિગેરે દ્વારા જહેમત ઊઠાવાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh