Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજપૂત સમાજ દ્વારા ઠંડાપીણા-અલ્પાહારનું વિતરણ
જામનગર તા. ૭: આશુરા નિમિત્તે જામનગર તાલુકાના લાખાબાવળ ગામમા તાજીયાનું ઝુલુસ કાઢવામાં આવ્યુંહતું. તેમાં જૂદી જૂદી કમિટીઓ દ્વારા સરબત, દૂધ કોલન્ડ્રિક્સ તેમજ જુદા જુદા નાસ્તા રાખવામા આવેલ હતા અને સાંજે આમ ન્યાઝ રાખેલ હતી. તેમજ રાજપૂત સમાજ દ્વારા ચેવડાની પ્રસાદીનું વિતરણ કરવામા આવેલ હતું. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રાજપૂત સમાજના આગેવાનો નુ તાજીયા પાસે જાહેર ચોકમાં શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમા કાસમભાઈ ખફી, અજીતસિંહ જાડેજા, અનિલભાઈ વાઘેલા, ભરતસિંહ જાડેજા, કમાભાઈ દાનાભાઈ કંટારીયા, જયદીપસિંહ જાડેજા (ઉપ સરપંચ) દિનેશભાઇ કંટારીયા તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. પ્રોગ્રામને સફળ બનાવવા માટે મુસ્લિમ સમાજના પ્રમૂખ સલીમભાઈ ખીરા, રશીદ એમ ખીરા (વકીલ), નુરમામદ ખીરા, (પીજીવીસીએલ) હનીબભાઈ ખીરા, ફિરોજ ખફી(પોલીસ) નવાઝ ખીરા, ઇકબાલ ખફી, શાકીર ખીરાએ જહેમત ઉઠાવી હતી. આ દરમિયાન પંચ બી પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત રાખેલ હતો અને પીજીવીસીએલની ટીમ પણ સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે સેફ્ટીના સાધનો સાથે હાજર રહેલ હતી. આમ એકદંરે આશુરાનો તહેવાર ભાઈચારા સાથે હિન્દુ-મુસ્લિમના લોકો સાથે મળીને ઉજવ્યો હતો. અને લોકોએ પોતાની મન્નત (આસ્થા) ઉતારી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial