Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરમાં કોઈ હાજર નહોતું: આજુબાજુ રહેતા ર૦ થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું
જામનગર તા. ૯: જામનગરના પટણીવાડ વિસ્તારમાં ગઈકાલે વર્ષો જુનું મકાન ધરાશાયી થયું હતું. આજુબાજુમાં અનેક લોકો રહેતા હતાં એ તમામને સલામતરીતે બહાર કાઢી લેવાયા હતાં, જો કે કોઈ માનવહાનિ થવા પામી ન હતી. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર, ઉપરાંત એસ્ટેટ શાખા, ફાયરબ્રિગેડ વગેરેનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના પટણીવાડ વિસ્તારમાં આરીફભાઈની માલિકીનું પીઢિયા-પાપડીથી બનાવાયેલ વર્ષો જુના મકાનની છતનો હિસ્સો ગત મોડી સાંજે તૂટી પડ્યો હતો. સદ્નસીબે ઘરમાં કોઈ હાજર ન હતું. આથી જાનહાનિ ટળી હતી, પરંતુ આજુબાજુમાં રહેતા ર૦ થી રપ લોકો કાટમાળથી ઘેરાયા હતાં. બનાવની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર અસલમ ખીલજી અને સ્થાનિક અન્ય આગેવાનો ઉપરાંત મહાનગર પાલિકાની ફાયર, એસ્ટેટ સહિતના વિસ્તારોની ટૂકડી પણ દોડી ગઈ હતી અને ત્યાં રહેતા આશરે ર૦ થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા હતાં. બીજી તરફ પીજીવીસીએલ દ્વારા વીજપુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
આથી ટોર્ચના અજવાળે કામગીરી કરવામાં આવી હતી તેમજ કાટમાળ પણ દૂર કરવામાં આવ્યો હતો. જેમાં તંત્ર સાથે સ્થાનિક લોકો પણ મદદમાં જોડાયા હતાં, જો કે આ ઘટનામાં કોઈ માનવહાનિ થવા પામી ન હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial