Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ સે જબ કોઈ કામ કરતા હૈ, પૂરી દુનિયામેં નામ કરતા હૈ..
જામનગર તા. ૭: જામનગરના ઓર્થોપેડીક ડો. શાલીન માહેશ્વરી 'મેરાકી' ના કો-ફાઉન્ડર છે. 'મેરાકી' એ પ્રતિભાઓ અને તકોને જોડતી કડી સમાન સંસ્થા છે જે વિવિધ ક્ષેત્રમાં વર્કફોર્સ પૂરી પાડે છે. દેશની નામાંકિત અને ટોચની કંપનીઓ સહિત વિવિધ ૩૦ ઔદ્યાગિક એકમો સહિત ૩૦૦ થી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. દેશના ૨૮ રાજ્ય સહિત વિદેશમાં પણ હવે મેરાકી કાર્યરત છે. આ સિદ્ધિ બદલ ન્યૂયોર્કના ટાઈમ સ્કેવર પર ફોર્ચ્યુના ગ્લોબલ ૧૦૦ પાવર લિસ્ટમાં ડો. શાલીન મહેશ્વરીને પણ સ્થાન મળ્યું છે. ડો. શાલીનની આંતરરાષ્ટ્રીય સ્તરની આ સિદ્ધિ ને પગલે જામનગરને ગૌરવ પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે તેઓ જામનગરના જાણીતા ઓર્થોપેડીક ડો. કે.એસ.મહેશ્વરીના પુત્ર છે. ડો. શાલીને ઓર્થોપેડીક ક્ષેત્રે સેવારત રહી 'મેરાકી'ના માધ્યમથી આગવી કારકીર્દી ઘડી ને પ્રેરક ઉદાહરણ પ્રસતુત કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial