Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સરકારે કરેલી વ્યવસ્થા મુજબ તા. ર૦ જાન્યુઆરી સુધી જામ્યુકો દ્વારા પણ
જામનગર તા. ૧૩: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન તા. ૧૦-૧-ર૦ર૬ થી ર૦-૧-ર૦ર૬ સુધી પતંગના દોરાથી થતા ઘાયલ પક્ષીની સારવાર માટે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન ર૦ર૬ ચલાવવામાં આવશે.
મહાનગરપાલિકા સંચાલિત કેટલ પોન્ડ (હાપા ગૌશાળા), રાધિકા સ્કૂલ પાછળ, માર્કેટીંગ યાર્ડ પાસે, રાજકોટ-જામનગર હાઈવે હાપામાં પક્ષીઓની સારવાર માટે બર્ડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.
સવારે ૯ થી સાંજે પ વાગ્યા દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થનાર પક્ષીની સારવાર કરવામાં આવશે. ઘાયલ પક્ષી જોવા મળે તો અહિં સુધી પહોંચાડવા મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial