Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પરશુરામ એવોર્ડઃ મહાપ્રસાદ

ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ, જામનગર દ્વારા ભૂદેવોના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે પરશુરામ એવોર્ડ-ર૦ર૬ તેમજ ભગવાન શ્રી પરશુરામજીનું વેદોક્ત પૂજન અને પરશુ દીક્ષા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧ર-૪-ર૦ર૬ (રવિવાર), મા-બાપને ભૂલશો નહિં નાટ્યોત્સવ સાંજે ૪ કલાકે, પરશુરામ એવોર્ડ સાંજે પ કલાકે, અલ્પાહાર રાત્રે ૮ કલાકે કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, ન્યુ જેલ રોડ, જામનગરમાં કાર્યક્રમ યોજાયો છે તેમજ તા. ૧૯-૪-ર૦ર૬, રવિવારે ભગવાન શ્રી પરશુરામજીનું વેદોક્ત પૂજન સવારે ૯ કલાકે, પરશુ દીક્ષા સવારે ૧૦ કલાકે અને મહાપ્રસાદ બપોરે ૧ર-૩૦ કલાકે ગીતા મંદિર, પાર્ક કોલોની, પારસ સોસાયટી, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમની સફળતા માટે કેતનભાઈ ભટ્ટ (મેનેજીંગ ટ્રસ્ટી), ટ્રસ્ટીઓ જયદિપભાઈ રાવલ, સુનિલભાઈ જોષી, સિમિતભાઈ રાવલ, મહેશભાઈ રાવલ, કિરીટભાઈ ઠાકર-શહેર પ્રમુખ વિરલભાઈ ત્રિવેદી, શહેર યુવા પ્રમુખ અર્ચનાબેન જોષી, જિલ્લા મહિલા પ્રમુખ અને મનિષાબેન જોષી, શહેર મહિલા પ્રમુખ જહેમત ઊઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh