Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાવલના ગીરીરાજ ચેરી. ટ્રસ્ટ તથા રાજકોટના રણછોડદાસજી બાપુ ચેરી. ટ્રસ્ટ દ્વારા
રાવલ તા. ૬: જામરાવલમાં આગામી ૧૦ મી ફેબ્રુઆરી ને મંગળવારે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ સુધી રાવલની સરકારી હોસ્પિટલમાં નેત્રયજ્ઞ યોજાશે
રાવલની સેવાભાવી સંસ્થા ગીરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજકોટના રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાનાર આ કેમ્પ માટે રાવલના સ્વ. પંચાણભાઈ વિરજીભાઈ દેત્રોજા પરિવારના રમેશભાઈ દેત્રોજા દ્વારા આર્થિક સહયોગ સાંપડ્યો છે અને આ કેમ્પનો લાભ લેવા સ્થાનિક તથા આજુબાજુના ગામોને બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી જણાવાઈ રહ્યું છે.
આ કેમ્પમાં આંખના દર્દોનું નિદાન કરી મોતિયાના દર્દીઓને રાજકોટની સંસ્થાની હોસ્પિટલની બસમાં રાજકોટ લઈ જઈ, ફેંકો પદ્ધતિથી ઓપરેશન કરી નેત્રમણિ બેસાડી એ જ બસમાં પરત રાવલ સુધી પહોંચાડી દેવાશે. દરેક દર્દીને હોસ્પિટલમાં ભોજન-અલ્પાહાર, ચા-પણીની સુવિધા, ચશ્મા, દવા, ટીપાં, ધાબળો વિગેરે અપાશે.
આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી અપાશે નહીં. વધુ વિગત માટે ગીરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ ગોકાણી (મો.નં. ૯૪ર૭૮ પ૯૧૦૮) પર સંપર્ક સાધી શકાશે, તેમ સંસ્થાએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial