Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાનપેટીમાંથી રૂ.૩૦ હજાર રોકડાની ચોરીની રાવઃ
જામનગર તા. ૬: કાલાવડના વિભાણીયા ગામમાં આવેલા નાગબાઈ માતાજીના મંદિરમાં મંગળવારની સાંજથી બુધવારની સવાર સુધીમાં ત્રાટકેલા તસ્કરો ચોરી કરી ગયા છે. નીજ મંદિર પાસે રાખવામાં આવેલી દાનપેટીનું તાળુ તોડી તેમાંથી રૂ.૩૦ હજારની રોકડ ચોરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
કાલાવડ તાલુકાના વિભાણીયા ગામમાં આવેલા નાગબાઈ માતાજીના મંદિરમાં મંગળવારની સાંજના સાડા છ વાગ્યાથી બુધવારની સવાર સુધીમાં કોઈ શખ્સો ઘૂસી જઈ દાનપેટીમાંથી રૂ.૩૦ હજાર રોકડા ઉઠાવી ગયા છે.
ઉપરોક્ત ચોરીની ગઈકાલે સવારે આ મંદિરમાં સેવાપૂજા કરતા નવઘણભાઈ કરમણભાઈ ગોલતરને જાણ થઈ હતી. તેઓએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકને વાકેફ કરી છે. દોડી ગયેલી પોલીસ ટીમે તપાસ હાથ ધરી છે. તે મંદિરમાં મુકવામાં આવેલી દાનપેટી સુધી પહોંચવા માટે નીજ મંદિરમાં પ્રવેશેલા તસ્કરોએ દાનપેટીનું તાળુ તોડી અંદરથી રોકડ રકમ ઉઠાવી પોબારા ભણી લીધા છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial