Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના ભાઈનંુ નોંધાયું નિવેદનઃ
જામનગર તા. ૧૪: જામનગરના એક પરિણીતાની સગર્ભા અવસ્થા દરમિયાન તબીયત લથડતા જુદી જુદી બે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં બ્લડપ્રેશરમાં વધ-ઘટ જોવા મળતા તેઓને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના રામેશ્વરનગર વિસ્તારની પાછળ આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા વીણાબેન મિલનભાઈ ચૌહાણ (ઉ.વ.૩૪) નામના પરિણીતા સગર્ભા બન્યા પછી રવિવારે તેઓની તબીયત બગડતા દિગ્વિજય પ્લોટ-૩૧માં રહેતા તેમના ભાઈ કપિલભાઈ વિનોદભાઈ વાઘેલા સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલમાં તબીબ ન હોવાથી અન્ય ખાનગી હોસ્પિટલમાં વીણાબેનને ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આ મહિલાનંુ બ્લડપ્રેશર વધ-ઘટ થતા અને તેઓને આંચકી આવવાની બીમારી પણ હોવાથી વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં મોડીરાત્રે આ પરિણીતાનું મૃત્યુ નિપજ્યું હતું. કપિલભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial