Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા તાલુકાના સલાયા સુધી રેલવે લાઈન નાખવાના મુદ્દે ચર્ચા-વિચારણા

રાજકોટ ડીઆરએમ સાથે બેઠક

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૮: ખંભાળીયાથી સલાયા ગામે વર્ષો પહેલાં જતી રેલવે લાઈન પાટા સહિત કાઢી લેવામાં આવી હતી. સલાયા રેલવે સ્ટેશન પણ બંધ થઈ ગયેલું અને ત્યાં દબાણો થઈ ગયા હતાં.

રેલવે લાઈન શરૂ કરવા હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા રેલવે તંત્રને રજુઆત કરાતા તાજેતરમાં સલાયા રેલવે લાઈનના પડતર પ્રશ્નો સંદર્ભમાં રાજકોટ ડીઆરએમ, રેલવેના ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખંભાળીયામાં જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, અધિક નિવાસી કલેક્ટર ભૂપેશ જોટાણીયા સાથે ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં સલાયા લાઈન ચાલુ કરવામાં નડતા પ્રશ્નો અંને મુદ્દાઓની ચર્ચા થઈ હતી.

અત્ર ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ સલાયા રેલવે સ્ટેશનની જમીન સલાયામાં હતી તેના પરના દબાણ હટાવાયા હતાં તથા જુના રેલવે ટ્રેકવાળી જમીનો પર દબાણો હટાવવા તથા તે રસ્તો મજબૂત કરવા તથા રસ્તા પરના પૂલોની મજબૂતિ ચકાસણી થઈ રહી છે તથા ખંભાળીયા તરફથી સલાયા ટ્રેક પર જેસીબીની મદદથી માટીકામ પણ શરૂ થયું હતું. સલાયા રેલવે લાઈન ચાલુ થતાં કંપનીઓ તથા માછીમારો માટે ખૂબ જ અનુકૂળતા થશે, સાથોસાથ ખંભાળીયામાં દ્વારકા બાયપાસ પાસે એક નવું રેલવે ફાટક પણ આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh