Advertisement
Author: નોબત સમાચાર

મોટા થાવરીયા પાસે બાઈકને રિક્ષાની ટક્કરઃ યુવાનને ઈજા

ઈજાગ્રસ્તના બનેવીએ ફરિયાદ નોંધાવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગર-કાલાવડ માર્ગ પર મોટા થાવરીયા ગામના પાટીયા પાસે સોમવારે સાંજે એક બાઈકને ફૂલસ્પીડમાં ધસી આવેલી રિક્ષાએ ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.  અલીયાબાડાના યુવાનને સારવારમાં ખસેડાયા છે.

જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં રહેતા શૈલેષભાઈ હીરાભાઈ રોશીયાના સાળા નરેશભાઈ કરશનભાઈ પરમાર નામના યુવાન સોમવારે સાંજે જામનગરથી અલીયાબાડા જવા માટે જીજે-૧૦-બીએસ ૯૭૩૨ નંબરના મોટર સાયકલમાં નીકળ્યા હતા.

તેઓ જ્યારે મોટા થાવરીયા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે એક અજાણી રિક્ષા પુરપાટ ઝડપે દોડી આવી હતી. તેના ચાલકે બાઈકને ઠોકર મારતા ફંગોળાઈ ગયેલા નરેશભાઈને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેઓને સારવારમાં ખસેડાયા છે અને શૈલેષભાઈએ પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh