Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થેલેસેમિયા મુક્ત સમાજ માટે જાગૃતિ અભિયાનઃ
જામનગર તા. ૧૮: 'ઈન્ડિયન મેડિકલ યાયન્ટિફિક રિસર્ચ ફાઉન્ડેશન' દ્વારા સંચાલિત લાઈફ થેલેસેમિયા પ્રિવેન્ટિવ સેન્ટર, રાજકોટ અને આઈ.ટી.આઈ. જામનગરના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા રોગના નિયંત્રણ અને જાગૃતિના ઉદ્દેશ્ય સાથે, આઈ.ટી.આઈ.જામનગરમાં આરોગ્યલક્ષી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થેલેસેમિયા કેરિયરની ઓળખ કરીને રોગના વારસાગત સંક્રમણ વિશે જાગૃત કરવા આઈ.ટી.આઈ.ના ૪૯૩ જેટલા તાલીમાર્થીઓનું વિનામૂલ્યે થેલેસેમિયા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પરીક્ષણની સાથે સાથે વિશેષજ્ઞો દ્વારા તાલીમાર્થીઓને થેલેસેમિયા રોગ શું છે, તેના લક્ષણો, કેવી રીતે ફેલાય છે અને ખાસ કરીને લગ્ન પહેલા પરીક્ષણનું મહત્ત્વ શું છે તે અંગે વિગતવાર જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સંસ્થાના આચાર્ય આર.એસ. ત્રિવેદીના સક્રિય માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યએ આરોગ્ય શિબિરના આયોજન માટે ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ટી.આઈ.ના સ્ટાફ મિત્રો અને થેલેસેમિયા પરીક્ષણ ટીમ દ્વારા સહયોગ મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial