Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'પાકિસ્તાનના બેહુદા ગપગોળા'
નવી દિલ્હી તા. ૭: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને મંગળવારે એક આશ્ચર્યજનક દાવો કર્યો હતો કે પાકિસ્તાની દળોએ પાંચ ભારતીય વિમાનોને તોડી પાડ્યા છે અને ઘણાં ભારતીય સૈનિકોને કેદી બનાવ્યા છે, જો કે ભારતીય સરકારી સૂત્રોએ આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને તેને પાયાવિહોણો ગણાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલો આ દાવો તદ્ન ખોટો છે અને તેમાં કોઈ સત્યતા નથી. ભારતીય વાયુસેનાના તમામ વિમાનો સુરક્ષિત છે અને એક પણ સૈનિકને કેદી બનાવવામાં આવ્યો નથી. આ દરમિયાન ભારતીય ગુપ્તચર એજન્સીઓના અહેવાલ અનુસાર ભારતીય મિસાઈલોએ નિયંત્રણ રેખા- (એલઓસી) નજીકના ૯ આતંકવાદી ઠેકાણા પર સફળ હુમલા કર્યા હતાં. આ હુમલામાં આતંકવાદીઓના અનેક કેમ્પને ભારે નુક્સાન થયું હોવાનું માનવામાં આવે છે. આ આતંકવાદી કેમ્પો મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલપુર, ભુમ્બર, સિયાલકોટ, ચક અમરૂ, મુરીદકે, બહાવલપુર, એલઓસી નજીક ચોક્કસ જગ્યાએ આવેલા હતાં.
ભારત તરફથી આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ગુપ્તચર સૂત્રોએ આ કાર્યવાહીને આતંકવાદ સામેની લડાઈમાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. પાકિસ્તાનના દાવા અને ભારતના મિસાઈલ હુમલાને પગલે સરહદ પર તણાવ વધી ગયો છે. બન્ને દેશોની સેનાઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial