Advertisement
Author: નોબત સમાચાર

એસઆઈઆરની કામગીરીમાં લેવાયેલા વાંધાઓ અંગે કોંગ્રેસની રજૂઆતઃ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી

જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરમાં ૭૮ અને ૭૯ વિધાન સભા મત વિસ્તારમાં ચાલી રહેલી વિશેષ ગાઢ સુધારણા (એસ.આઈ.આર.) પ્રક્રિયા સંદર્ભે ફોર્મ-૭ દ્વારા દાખલ થયેલા મોટા પાયાના વાંધાઓ અંગે આજે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મોટા પાયાના વાંધાઓ બાબતે મતદારો તરફથી તૈયાર કરાયેલ સંયુકત રજૂઆત તથા સંલગ્ન આજે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

આ રજૂઆત માત્ર મતદાર યાદીની શુદ્ધતા પ્રક્રિયાત્મક પાર્દશકતા તથા મતદાર અધિકારનાં સંરક્ષણ હેતુસર કરવામાં આવી છે. આ સંલગ્ન રજૂઆત તથા એનેલરનું અવલોકન કરી યોગ્ય વહીવટી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. તેવી માંગણી સાથેની રજૂઆત આજના આવેદનપત્ર પાઠવાયું હતું.

આ આવેદનપત્ર પાઠવતી વેળાએ કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગર પાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી સહારાબેન મકવાણા વગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh