Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્ય રસ્તો બંધ રહેતા વાહનચાલકો તથા રાહદારીઓ પરેશાન
ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયા પાલિકા દ્વારા નગર ગેઈટથી ચાર રસ્તા સુધીના ૭૦ મીટર જેટલા રોડના કામમાં ચાર રસ્તા તબક્કામાં કામ કરવામાં આવતા લોકો ટ્રાફિક અને ડાયવર્ઝનમાં રોજ જામમાં ફસાય છે.
ચાર રસ્તાથી શરૂ થયેલ કામને તેલીના પૂલ પહેલા જ બંધ કરી દેવાયો છે. હવે નગર ગેઈટ પાસેથી ધર્મશાળા બાલમંદિરથી કામ શરૂ કરાયું છે. જે નવા નાકા પહેલા સુધી તે પછી નગર ગેઈટથી ભાટીયા બાલમંદિર થશે અને ઉત્તમ મેડિકલથી તેલીના પૂલ છેડા પછી ચોથા તબક્કામાં થશે !!
૭૦૦ મીટર જેટલા કામમાં ચાર ચાર તબક્કામાં કામો થતાં દિવસો સુધી મુખ્ય રસ્તો બંધ રહેતા લોકો પરેશાન થાય છે. હાલ પણ ચાર રસ્તા તરફથી નગર ગેઈટ જવા માટે જી.વી.જે. હાઈસ્કૂલ રોડ પર જ્યાં અનેક હોસ્પિટલો આવેલી છે ત્યાંથી જવાનું થતાં અને ત્યાંથી ચાર રસ્તા તરફ આવનારાને આવવાનું થતાં રોજ સવારે ટ્રાફિક જામની સ્થિતિ અનેક વખત થાય છે. તો હજુ રોડ બન્યો નથી, ખોદવાનું ચાલુ છે. બીજો તબક્કો તે પછી બાકીના બે તબક્કા થશે જેમાં પણ દિવસો લાગશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial