Advertisement
Author: નોબત સમાચાર

બાગેશ્વરધામમાં મંડપ ધરાશાયી થતા એક શ્રદ્ધાળુનું મૃત્યુઃ આઠ અન્ય લોકો ઘાયલ

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મ દિવસની ઉજવણી દરમિયાન

                                                                                                                                                                                                      

ભોપાલ તા. ૩: ગરહા ગામે બાગેશ્વર ધામમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ ધરાશાયી થતાં એકનું મૃત્યુ થયું અને આઠ ઘાયલ થયા છે.

મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગરહા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના બની છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જ્યારે અન્ય આઠ ઘાયલ થયા છે.

મંડપનો લોખંડનો પાઈપ માથા પર વાગતાં એક શ્રદ્ધાળુનું કમકમાટીભર્યું મૃત્યુ થયુ હતું. ગુરૂવારે સવારે સાત વાગ્યે મંગળા આરતી પૂર્ણ થયા બાદ વરસાદ આવતો હોવાથી શ્રદ્ધાળુઓ મંડપ નીચે ઉભા હતાં. ત્યાં અચાનક મંડપ ધરાશાયી થતાં એક શ્રદ્ધાળુના માથા પર લોખંડનો પાઈપ વાગ્યો હતો.

મૃતક શ્યામલાલ કૌશલ ઉત્તરપ્રદેશના અયોધ્યાનો રહેવાસી હતો. ગઈકાલે બુધવારે બાગેશ્વર ધામમાં શ્રદ્ધાળુઓ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી કરવા એકઠા થયા હતાં. ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ ચાર જુલાઈના શુક્રવારે છે. જેની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કર્યું હોવાથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં બાગેશ્વર ધામ પહોંચ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh