Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ડી.કે.વી. કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા તાલીમ યોજાઈ

પ્રિ. ડો.પી.વી. બાણગોરીયાના માર્ગદર્શન હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪ઃ તાજેતરમાં ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા જામનગરની ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રિ. ડો.પી.વી. બાણગોરીયાના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગ સાહસિકતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્ટેટ આંત્રપ્રિનિયોરશિપ તરફથી કોઓર્ડિનેટર હેતલ પાઠકની ઉપસ્થિતિમાં યોજાયેલ પાંચ દિવસીય વિવિધ તાલીમમાં વિવિધ તજજ્ઞો દ્વારા ઉદ્યોગ સાહસિકતાના મૂળભૂત સિદ્ધાંતો, બિઝનેસ પ્લાનીંગ, માર્કેટીંગ, સરકારની વિવિધ યોજનાઓ વિગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો. પી.વી. બાણગોરીયાએ વર્તમાન સમયમાં ઉદ્યોગ સાહસિકતા ની આવશ્યકતા જણાવી તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાની ૧૦ કોલેજના નોડલ અધિકારી તથા ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ડો.કે.જી. રાઠોડ, નોડલ અધિકારી ડો. અનિલ મહિડા તથા ઉદ્યોગ સાહસિકતા તાલીમના સભ્યોએ પરિશ્રમ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh