Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં આજથી સહિયર નવરાત્રિ મહોત્સવ

સંસ્કૃતિ-સહ-સેવાના સમન્વય સમું આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા ૨૨: આદ્યશક્તિ આરાધનાના પર્વ શરદીય નવરાત્રિનો આજ તા. ૨૨ સપ્ટેમ્બર થી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભક્તિ તથા સંસ્કૃતિ સંગાથે સેવા પ્રકલ્પના મનસુબા સાથે શહેરના જાણીતા 'રંગતાળી ગ્રુપ' દ્વારા ફક્ત ટ્રેડિશનલ વેશભૂષા પરિધાન કરેલા યુવતિઓ-યુવકો માટેના અર્વાચિન દાડીયા મહોત્સ્વ "સહિયર" નો તા. ૨૨-૯-૨૫ના રાત્રીના ૯ કલાકે શુભારંભ થશે. પ્રથમ નોરતે મહોત્સવના દીપ પ્રાગટ્ય પ્રારંભ પ્રસંગે જામનગરના ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ૭૮ ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા કલેકટર કેતન ઠકકર, અધિક કલેકટર ભાવેશભાઈ ખેર, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગોવા શીપયાર્ડના ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા, ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, વિદ્યોતેજક મંડળના પ્રમુખ અરવિંદભાઈ શાહ, બહ્મ અગ્રણી નરેન્દ્રભાઈ ત્રિવેદી, મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતન નાખવા, સહિયર નવરાત્રિ મહોત્સવના મુખ્ય પ્રાયોજક હર્ષ પોલિપેક વાળા કૈલાશભાઈ બદિયાણી, અગ્રણી બિલ્ડર મહેશભાઈ નંદાણીયા, શિવમ ફાયનાન્સના મુકેશભાઈ વૈદ્ય, શહેર ભાજપના મહામંત્રી વિજયભાઈ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ વગેરે ઉપસ્થિત રહેશે. સાત રસ્તા પાસેના એમ.પી.શાહ કોમર્સ કોલેજના વિશાળ પટાંગણમાં કોઈપણ બાળા-યુવતી કે મહિલાઓ ઉપરાંત નવરાત્રિના પરંપરાગત વસ્ત્રાધારી યુવકો તાલીરાસ, પંચીયારાસ, ચોકડીરાસ, ફ્રી સ્ટાઈલનું સ્પર્ધાત્મક રાસ-ગરબાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે.

'રંગતાલી ગ્રુ૫' દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાઓ' પ્રકલ્પ અંતર્ગત નવ બાળાઓને શૈક્ષણિક હેતુસર દત્તક લઈ તેમના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની તત્પરતાવાળા સેવા પ્રકલ્પના કારણે શહેરમાં આ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે. 'સહિયર નવરાત્રિ મહોત્સવ' ના સંયોજક શ્રીમતી રીટાબેન સંજયભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ આ દાંડિયા મહોત્સવ બહેનો દ્વારા આયોજીત અને બહેનો દ્વારા સંચાલિત હશે. પ્રવેશદ્વારથી લઈને ટિકિટ વેંચાણ, ડી.જે., એરીના વ્યવસ્થા, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, સ્વાગત, આરતી, ઉદ્ઘોષણા, નિર્ણાયક, ભેટ સ્વીકાર, સુરક્ષા, સ્વયંસેવક જેવી તમાામ બાબતોનું સંચાલન માત્ર બહેનો દ્વારા જ કરવામાં આવશે.

તદ્ઉપરાંત નવરાત્રિ દરમિયાન દરરોજ મહિલા સશક્તિકરણ અભિયાનના વિવિધ પાસાંઓની ગરબીના મેદાન પર પ્રસ્તુતિ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh