Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં રેલવે દ્વારા ડબલીંગ કામગીરી માટે
જામનગર તા. ર૯: જામનગરના ખોડ મીલના ઢાળિયા પાસે રેલવે દ્વારા ટ્રેક ડબલીંગની કામગીરી કરવામાં આવનાર હોવાની રેલવે ક્રોસીંગમાં અવરજવર ઉપર દોઢ માસ સુધી પ્રતિબંધ મૂકતું જાહેરનામું મ્યુનિ. કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જામનગર મહાનગર પાલિકાની હદમાં રામનગર વિસ્તાર, ખોડમીલની હદમાં રામનગર વિસ્તાર, ખોડમીલ ઢાળિયા પાસેના રેલવે અંડર પાસ પાસે રેલવે વિભાગ દ્વારા ડબલીંગ ટ્રેક બનાવવા માટે જરૂરી ફાઉન્ડેશન સ્ટ્રક્ચરની કામગીરી કરવાની હોય, જે અંતર્ગત તા. ૧-૮-ર૦રપ થી ૧પ-૯-ર૦રપ સુધી રેલવે બ્રિજ નંબર ૩૬૧, રામનગર, ખોડમીલ ઢાળિયોથી રેલવે ટ્રેક નીચેના અન્ડર પાસ ક્રોસીંગની બન્ને તરફનો રસ્તો વાહન માટે બંધ રહેશે.
તેનો વૈકલ્પિક વ્યવસ્થા માટે એલ.સી. નંબર ર૯૭, બેડેશ્વર રેલવે ઓવરબ્રિજનો ઉપરનો રસ્તો અવરજવર માટે ઉપયોગ કરવાનો રહેશે. આ માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તેની સામે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial