Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં
જામનગર તા. ૨૫ઃ શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં ઉલ્લાસપૂર્વ વાતાવરણમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી સંપન્ન થઈ હતી.
શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં ખૂબ જ ભાવ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી તા. ૧૦-૭-૨૫ ગુરૂવારે કરવામાં આવી હતી. પ્રાતઃ કાલે ૬ઃ૧૫ થી ૭ઃ૩૦ નિત્ય યજ્ઞમાં ૧૦૦ ઉપરાંતના ભાઈઓ-બહેનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. જેનું કર્મકાંડ દીપોત્સનાબેન મોડીયાએ કર્યું હતું. સવારે ૮ થી ૯ દરમ્યાન ગુરૂપૂજન શક્તિપીઠના વરિષ્ઠ પરિજન હરસુખભાઈ વ્યાસ દ્વારા સંપન્ન થયું હતું. સવારે ૯ થી ૧૧ દરમ્યાન નવકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમનું કર્મકાંડ સંસ્થાના વરિષ્ઠ પરિજન જયુભા જાડેજા તથા ચમનભાઈ વસોયા તથા સંગીતજ્ઞ મહેન્દ્રભાઈ જોષી દ્વારા સંગીતમય વાતાવરણમાં સંપન્ન થયું હતું. જેમાં ૧૦૦૦થી વધારે ભાઈ-બહેનોએ યજ્ઞના દર્શન, આહુતિનો લાભ લીધો હતો. તેમજ ૪૦ ભાઈઓ-બહેનોએ મંત્રદીક્ષા લીધી હતી. જેનું કર્મકાંડ સુધાબેન જોષી તથા શિલાબેન રાબડીયા દ્વારા સંપન્ન થયું હતું.
યજ્ઞના અંતે ૫૦૦ પરિજન ભાઈઓ-બહેનોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાંજે ૪ થી ૫ દરમ્યાન અખંડ જાપ યોજાયા હતા. સાંજે ૫ થી ૬ દરમ્યાન બાલ સંસ્કાર શાળાના ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ વિષયક વક્તવ્ય રજુ કર્યું હતું. તમામ ૨૦ બાળકોને ઈનામ આપીને સન્માનીત કર્યા હતા. સાંજે ૬ઃ૩૦ થી ૭ઃ૩૦ દરમ્યાન મહાદીપ યજ્ઞ યોજાયો હતો. જંમાં બહોળી સંખ્યામાં પરિજનો હાજર રહ્યા હતા. જેનું સંચાલન પ્રીતિબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. અને સાથે વૃક્ષ રોપાનું વિતરણ સુનિતાબેન આહિર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પાવન દિવસે જામનગર જિલ્લા ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા રૂા. ૪૫૧૦૦૦/-નું અનુદાન હરિદ્વારને મોકલવામાં આવ્યું હતું, તેમ ગાયત્રી શક્તિપીઠે, જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial