Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિ૫ક્ષી દંડક દ્વારા રાજયપાલને રજૂઆતઃ
જામનગર તા. ૧૬: જામનગરમાં રણજીત રોડ માર્ગે ચાલતા બાંધકામમાં નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ રાજ્યપાલ સમક્ષ કરવામાં આવી છે.
જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના દંડક સમજુબેન દિપુભાઈ બારીયાએ અ ા રજૂઆતમાં જણાવ્યું કે, દયારામ લાયબ્રેરી સામેના વિસ્તારમાં આઠ દુકાનના બાંધકામ મો ઓનલાઈન મંજૂરી મેળવવામાં આવી છે. જ્યાં મંદિરની ૧૦ ફૂટ જગ્યામાં દબાણ થયું છે. ૧૦ ફૂટનું માર્જીન મૂકવામાં આવ્યુ નથી. પાર્કિંગની જગ્યા રાખવામાં આવતી નથી.
થોડા સમય પહેલા ગેરકાયદે બાંધકામ અંગે ર૦૦ થી વધુ નોટીસ મહાનગરપાલિકાની ટીપીએ શાખા દ્વારા આપવામાં આવી હતી, પરંતુ એક પણ બાંધકામ તોડી પાડવામાં આવ્યું નથી. આથી ટીપીઓ શાખામાંથી જવાબદારી અધિકારીની અન્ય વિભાગોમાં બદલી કરવી જોઈએ.
આથી રણજીતરોડ ઉપરના ગેરકાયદેસર બાંધકામ અંગે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, અને ભ્રષ્ટાચારી અધિકારી સામે કાયદેસર પગલા લેવા જોઈએ.
શહેરીજનોની સુખાકારી માટે ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલા લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial