Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરજદાર તથા સામાવાળાનું સંતાનો કરે છે ભરણપોષણઃ
જામનગર તા. ૧૫: જામનગરના નેવું વર્ષના એક વૃદ્ધ સામે તેમના પત્નીએ ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. તે અરજી અન્વયે વયોવૃદ્ધ પતિ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે પત્નીની ભરણપોષણ માંગતી અરજી નામંજૂર રાખી છે.
જામનગરના રેવાગર મનરૂ૫ગર અપારનાથી નામના નેવું વર્ષના વૃદ્ધ સામે તેમના પત્ની ભાનુબેન રેવાગરે જામનગરની ફેમિલી કોર્ટમાં ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ મેળવવા માટે અરજી દાખલ કરી હતી.
અરજી અન્વયે હાજર થયેલા રેવાગર અપારનાથી તરફથી દલીલ કરવામાં આવી હતી કે, તેઓ નેવું વર્ષના વૃદ્ધ હોવા ઉપરાંત શારીરિક રીતે અશક્ત છે અને ગંભીર બીમારીનો ભોગ બનેલા છે. તેઓની પાસે કોઈ સ્થાવર-જંગમ મિલકત પણ નથી અને તેમના સંતાનો પિતા રેવાગર અને માતા ભાનુબેનનું ભરણપોષણ કરી રહ્યા છે.
ઉપરોક્ત દલીલો ઉપરાંત સામાવાળાના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલને ધ્યાને રાખી અદાલતે ભાનુબેનની ભરણપોષણ માંગતી અરજી નામંજૂર કરી છે. રેવાગર અપારનાથી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial