Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૂવામાં ન્હાવા ઉતરેલા યુવાન ડૂબી ગયાઃ
જામનગર તા. ૧૦: ખંભાળિયામાં રહેતા એક વૃદ્ધે દસ વર્ષથી પજવતી શ્વાસની બીમારીથી કંટાળી જઈ શનિવારે રાત્રે દોરી વડે ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે કલ્યાણપુરના ભોપલકામાં કૂવામાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયા શહેરમાં મિલન ચાર રસ્તા નજીક વસવાટ કરતા નારણભાઈ પાલાભાઈ માતંગ (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ છેલ્લા દસેક વર્ષથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. તેની સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી ગયેલા નારણભાઈએ શનિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાથી રવિવારની સવારના ચાર વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં રહેલી છતની એક ઝાળીમાં દોરી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ગોવિંદભાઈએ પોલીસને જાણ કરી છે.
કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામમાં રહેતા અશોકસિંહ પ્રભાતસિંહ જાડેજાના પુત્ર પીયુરાજસિંહ શનિવારે બપોરે ભોપલકા ગામમાં જ આવેલા કિશોરસિંહના ખેતરે ગયા હતા. જ્યાં કૂવામાં ન્હાવા ઉતરેલા આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. અશોકસિંહેે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial