Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકની પણ ઓળખ મેળવવા તપાસ શરૂ કરાઈઃ
જામનગર તા. ૧૦ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા નજીકના રામપર ગામના પાટીયા પાસે શનિવારે સાંજે એક અજાણ્યા પ્રૌઢને કોઈ વાહન ઠોકર મારીને નાસી ગયું હતું. ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે હિટ એન્ડ રનના આ બનાવની તપાસ શરૂ કરી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામ પાસે રામપરના પાટીયાથી પેટ્રોલપંપ તરફના માર્ગ પર સોમવારે રાત્રે આઠેક વાગ્યે અંદાજે પચ્ચાસેક વર્ષના એક અજાણ્યા પ્રૌઢ કોઈ વાહનની ઠોકરે ચઢેલી હાલતમાં લોહીલુહાણ પડ્યા હતા.
આ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. રામપર ગામના રાહુલ પોલાભાઈ જાટીયાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. આ પ્રૌઢને કોઈ અજાણ્યું વાહન ઠોકર મારીને નાસી ગયું હોવાની આશંકા સેવી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial