Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    ધોકા-પાઈપથી વેપારીને માર મારી મોબાઈલ તોડ્યોઃ
જામનગર તા. ૩: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા એક આસામી પર ગઈરાત્રે ત્રણ શખ્સે પાઈપ-ધોકાથી હુમલો કરી માર મારવા ઉપરાંત મોબાઈલ તોડી નાખ્યો હતો. આ વેપારીના ભાઈ સાથે પૈસાની લેતીદેતીનો મામલો હુમલાનું કારણ બન્યો હતો.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરીમાં રહેતા અને ખોડિયાર કોલોની મેઈન રોડ પર પાનની દુકાન ચલાવતા સહદેવસિંહ રતનસિંહ જાડેજા ગઈરાત્રે પોતાની દુકાને હતા ત્યારે ત્યાં લાખાભાઈ ગઢવી, વિપુલ ગઢવી, સતિષ સિંધી નામના ત્રણ શખ્સ આવ્યા હતા.
વેપારી સહદેવસિંહના ભાઈ સાથે આ વ્યક્તિઓને પૈસાની લેતીદેતીનો વ્યવહાર હોવાથી સહદેવસિંહને આ શખ્સોએ ગાળો ભાંડવાનું શરૂ કર્યા પછી ઢીકાપાટુથી માર માર્યાે હતો. જ્યારે લાખાભાઈએ પગમાં પાઈપ ફટકાર્યાે હતો અને વિપુલ તથા સતિષે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો અને ખિસ્સામાં રહેલા મોબાઈલ પર ધોકાથી ફટકો મારવામાં આવતા મોબાઈલ તૂટી ગયો હતો. આ બાબતની આજે વહેલી સવારે સહદેવસિંહે સિટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય આરોપી સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial