Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારીઓ દ્વારા માર્કેટીંગ યાર્ડના મંત્રીને આવેદનઃ
જામનગર તા. ૮: જામનગર નજીકના હાપા માર્કેટ યાર્ડમાં શાકભાજીના કેરેટ દીઠ શેષ ઉઘરાવવામાં આવે છે. તેની સામે ગઈકાલે કોર્પોરેટર દ્વારા શાકબકાલાના વિક્રેતાઓને સાથે રાખીને યાર્ડના સેક્રેટરીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
યાર્ડ સવારે ચાર વાગ્યે ખોલવાનું હોય છે, પરંતુ નિયમ વિરૂદ્ધ રાત્રે ૩ વાગ્યે જ અમુક શખ્સો યાર્ડમાં ઘૂસી જાય છે અને માલ ઊઠાવી લે છે.
શાકબકાલાવાળાની સતત નારાજગી વચ્ચે ગઈકાલે યાર્ડના સેક્રેટરીને આવેદન પાઠવ્યું હતું, અને રજૂઆત કરી હતી કે નિયમ મુજબ યાર્ડ દ્વારા અડધો ટકો શેષ વસૂલી શકાય છે, જે શેષની રકમ ખરીદનારે ચૂકવવાની હોય છે.
પરંતુ યાર્ડ દ્વારા માલના બદલે કેરેટ ઉપર શેષ ઉઘરાવાય છે. કેરેટ દીઠ રૂા. ૬ નું ઉઘરાણું થઈ રહ્યું છે. યાર્ડના સત્તાધીશોના આશીર્વાદથી રાત્રે ૩ વાગ્યે જ અમુક પથારાવાળાને યાર્ડમાં એન્ટ્રી મળી જાય છે, જે કમિશન એજન્ટ પાસેથી ખરીદી કરે છે, અને છૂટક વિક્રેતાને ઊંચા ભાવે માલનું વેંચાણ કરે છે. પરિણામે છૂટક વિક્રેતાને ઊંચા ભાવે ખરીદી કરવાની ફરજ પડે છે. આખરે ગ્રાહકને મોંઘા ભાવે શાકભાજી ખરીદી કરવી પડે છે.
આ કાર્યક્રમ કોર્પોરેટર રચનાબેન નંદાણિયાની આગેવાનીમાં યોજાયો હતો, જેમાં અનેક શાકભાજી વિક્રેતાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial