Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના સંબંધીનું નિવેદન નોંધાયું:
જામનગર તા. ૭: જામનગરના ધરારનગર-૧ નજીક સાત નાલા રેલવે બ્રિજ પર ગઈકાલે એક મહિલા ટ્રેનની હડફેટે ચઢી જતા મોતને શરણ થયા છે.
જામનગરના ધરારનગર-૧ વિસ્તાર પાસે આંબેડકરધામમાં રહેતા ડાયાબેન કિશોરભાઈ રાઠોડ નામના ચુમાલીસ વર્ષના મહિલા ગઈકાલે સવારે સાડા આઠેક વાગ્યે પોતાના ઘરેથી ચાલીને કામસર નીકળ્યા હતા.
તેઓ જ્યારે સાત નાલા પાસે રેલવે બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે બ્રિજ ક્રોસ કરતી વખતે અચાનક ટ્રેન ધસી આવતા આ મહિલા તેની હડફેટે ચઢી ગયા હતા. ટ્રેનના તોતિંગ એન્જિનની ટક્કર વાગતા ફંગોળાઈ ગયેલા આ મહિલાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ધીરૂભાઈ નાનભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. જમાદાર એફ.એમ. ચાવડાએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial