Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં આજે
આજે ધન્વન્તરિ ત્રયોદશીના અવસર ૫ર આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (આઈટીઆરએ) આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારકા આયુર્વેદના આરાધ્ય દેવ ભગવાન ધન્વન્તરિના પ્રાગટ્ય દિને તેમની પ્રતિમાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના નાયબ નિર્દેશક પ્રોફેસર વર્ષાબેન સોલંકી, ડીન વૈદ્ય હિતેશ વ્યાસ, તમામ વિભાગીય વડાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી. સૌએ સાથે મળીને ધન્વન્તરિ વંદના દ્વારા સમગ્ર વિશ્વના જીવોનું સ્વાસ્થ્ય કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. જામનગરને જ્યારે આયુર્વેદની જનક અને તપોભૂમિનું બહુમાન હાંસલ થયુ છે ત્યારે આજે ધન્વન્તરિ ત્રયોદશી (ધનતેરસ) ના પ્રસંંગે ઈશ્વર ધન્વન્તરિજીની આરાધના એ ખરા અર્થમાં 'આયુર્વેદ લોકો માટે પૃથ્વીના કલ્યાણ માટે' વાસ્તવમાં ચરિતાર્થ ગણાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial