Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના કંચનપુર પાસે અકસ્માત સર્જી નાસી ગયેલી મોટરના ચાલક સામે ગુન્હો

ઓડી મોટરની પોલીસ દ્વારા શોધખોળ શરૃઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯ઃ ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર સોમવારની સાંજે રોડ ક્રોસ કરતા ખંભાળિયાના એક વિપ્ર પ્રૌઢને ઓડી મોટર ઠોકર મારીને નાસી ગઈ હતી. હિટ એન્ડ રનના આ બનાવમાં પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી મોટરની શોધ આરંભી છે.

ખંભાળિયાથી જામનગર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા કંચનપુર ગામ પાસેથી સોમવારે સાંજે પોણા આઠેક વાગ્યે ખંભાળિયા શહેરમાં રહેતા અને ચોકીદાર તરીકે કામ કરતા ખેરાજભાઈ ઓડીચ નામના વિપ્ર પ્રૌઢ રોડ ક્રોસ કરતા હતા.

આ વેળાએ પુરપાટ ઝડપે પસાર થયેલી જીજે-૧૦-ઈસી ૮૯૮૯ નંબરની ઓડી મોટર તેઓને ઠોકર મારીને નાસી ગઈ હતી. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા જેરાજભાઈનું મૃત્યુ નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં ખંભાળિયા પોલીસની ટીમ ધસી આવી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવ્યા પછી તેમના પરિવારને જાણ કરતા ખંભાળિયાના ધરારનગરમાં રહેતા મૃતકના ભત્રીજા શામળાભાઈ વાલાભાઈ ઓડીચ આવી પહોંચ્યા હતા. તેઓએ પોતાના કાકાને ઓળખી બતાવ્યા હતા. પોલીસે તેઓની ફરિયાદ પરથી નાસી ગયેલી મોટરચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh