Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્ય સુત્રધાર સામે ફોજદારી ફરિયાદનો સીલસીલો શરૂ
જામનગર તા. ૯: જામનગરમાં પાંચ થી છ દિવસ પહેલા જીએસટી વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં આશરે રૂ. પ૦૦ કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા સી.એ. સામે ફોજદારી ફરિયાદનો સીલસીલો પણ શરૂ થયો છે. આ સી.એ. દ્વારા બે ડઝન પેઢીના નામે બોગસ બીલીંગ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાઈ છે.
રાજ્યના જીએસટી વિભાગની ટીમ થોડા દિવસ પહેલા જામનગરમાં ત્રાટકી હતી, અને હિરજી મિસ્ત્રી માર્ગ પરની બ્રહ્મા એન્ડ એસોસિએટ નામની પેઢી ચલાવતા સીએ અલ્કેશ પેઢડીયાને પેઢીમાં તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જો કે આ સી.એ. નાસી ગયા હોય, હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી.
મળતી માહિતી મુજબ આ સી.એ. દ્વારા આશરે બે ડઝન જેટલી પેઢીના નામે બેનામી વ્યવહારો કરી આ કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. જેનો આંક રૂ. પ૦૦ કરોડે પહોંચે તેવી શક્યતા પણ દર્શાવાઈ છે. બીજી તરફ સી.એ. સામે પોલીસમાં ફરિયાદો નોંધાવવાની શરૂ થઈ ચૂકી છે, જો કે આ સમગ્ર પ્રકરણમાં હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર થઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial