Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભજીયા બનાવવાની બાબતે પત્ની સાથે બોલચાલીઃ
જામનગર તા. ૧૦: ધ્રોલના ઈટાળા ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા પરપ્રાંતીય શ્રમિકે પત્નીને ભજીયા બનાવી આપવા માટે કહ્યા પછી પત્નીના ઈન્કારથી માઠું લાગી આવતા ઝેરી દવા પીધી હતી. આ શ્રમિકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
ધ્રોલ તાલુકાના ઈટાળા ગામમાં આવેલા રમેશભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની સાગરભાઇ ઇદલાભાઈ ભીંડે નામના યુવાને પોતાના પત્ની સવિતાબેનને તા.૩ની બપોરે રસોઈ બાબતે પૂછ્યું હતું. આ વેળાએ સાગરભાઇએ ભજીયા બનાવી આપવાનું કહેતા અને સવિતાબેને ભજીયા બનાવવાની ના પાડતા આ દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતનો માઠું લાગી આવતા સાગરભાઇએ કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ શ્રમિકનું શનિવારે મૃત્યુ નિપજ્યું છે. સવિતાબેને પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial