Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    સુરત દોડી ગઈ પેરોલ ફર્લો સ્કવોડઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના એક પોલીસ મથકમાં છવ્વીસ વર્ષ પહેલાં નોંધાયેલા એક ગુન્હામાં નાસી ગયેલા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે સુરતમાંથી પકડી પાડી જામનગર ખસેડ્યો છે.
જામનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૧૯૯૯માં આઈપીસી ૪૦૬ હેઠળ એક ગુન્હો નોંધાવાયો હતો. તે ગુન્હામાં રાજુભાઈ ભનુભાઈ માંડવીયા નામના શખ્સનું નામ પણ ખૂલ્યું હતું.
આ આરોપી છેલ્લા છવ્વીસેક વર્ષથી પોલીસને હાથતાળી આપતો હતો. આ શખ્સ સુરતના કામરેજ ચોકડી વિસ્તારમાં એક કોમ્પલેક્ષમાં રહેતો હોવાની બાતમી મળતા જામનગરની પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પીએસઆઈ એમ.વી. ભાટીયાની સૂચનાથી ધસી ગઈ હતી. જ્યાંથી રાજુભાઈ માંડવીયાની અટકાયત કરી જામનગર ખસેડવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  