Advertisement
Author: નોબત સમાચાર

સાત દિવસની પેરોલ મેળવી નાસી ગયેલા આરોપીને પકડી પાડવામાં આવ્યો

ચેક પરતના કેસમાં થઈ છે સજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: લાલપુરના કરાણા ગામના એક શખ્સને ચેક પરતના કેસમાં થયેલી સજા દરમિયાન ગયા મહિને આ શખ્સે સાત દિવસની પેરોલ મેળવી હતી. તેની મુદ્દત પૂર્ણ થયા પછી પણ આરોપી જેલમાં હાજર થયો ન હતો. તેને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે. લાલપુર તાલુકાના કરાણા (દેવરીયા) ગામના પ્રફુલ નંદલાલ ટીલાવત નામના શખ્સ સામે કેટલાક વર્ષ પહેલાં ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. તે ગુન્હામાં અદાલતે આરોપીને સજા ફટકારી હતી.

ત્યારપછી પ્રફુલ ટીલાવતને સજા કાપવા માટે અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યાંથી તેણે ગયા મહિનાની ત્રણ તારીખે સાત દિવસ માટે પેરોલ મેળવી હતી. આ શખ્સે ગઈ તા.૧૧ ઓક્ટોબરે જેલમાં હાજર થઈ જવાનું હતું પરંતુ આ આરોપી હાજર થયો ન હતો. તેને પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લઈ જેલમાં મોકલી આપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh