Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સહકારી અગ્રણી દ્વારા
જામનગર તા. ૯: જામનગર શહેરની મધ્યમાં આવેલ જર્જરીત જૂની શાકમાર્કેટનું ડિમોલિશન કરવામાં આવનાર છે ત્યારે ત્યાં અંડર ગ્રાઉન્ડ શાકમાર્કેટ બનાવવા જિલ્લા સહકારી સંઘના શિક્ષણ સમિતિના ચેરમેન છગનભાઈ પટેલે સૂચન કર્યુ છે. નવી શાકમાર્કેટ બાંધવાની જરૂર હોય તો હાલ ની જગ્યાએ ભૂગર્ભમાં અદ્યતન સગવડતા વાળી શાકમાર્કેટ બાંધવી જોઈએ અને ઉપરના ભાગે ચો તરફ ઢાળ વાળો સ્લેબ નાખવો જોઈએ.
ચો તરફ ઢાળવાળા સ્લેબને બદલે સપાટ સ્લેબ ભરી શકાય અને તેની ઉપર '૫ે એન્ડ પાર્ક' ના ધોરણે પાર્કીંગ બનાવી શકાય. આ પાર્કીંગ ફોર વ્હીલ માટે માસિક/વાર્ષિક રકમ નક્કી કરીને શાકમાર્કેટની આજુબાજુના ફોરવ્હીલ માલિકોને ભાડે આપી શકાય તેમજ એક ભાગમાં શાકમાર્કેટમાં ખરીદી કરવા આવતા લોકો માટે ટૂ-વ્હીલ અને ફોર વ્હીલ વાહનોના ઓછામાં ઓછા એક કલાકના ધોરણે અને તેના ગુણાંકમાં પાર્કીંગ માટે આપી શકાય.
આ રીતે અંડર ગ્રાઉન્ડ શાકમાર્કેટ અને ઉપર પાર્કીંગ બનાવવાથી નગરપાલિકાને આવક થાય તેમજ આજુબાજુના વેપારી ભાઈઓને જે તેના વાહનો રોડ ઉપર પાર્ક કરી ટ્રાફિકને અવરોધરૂપ બને છે, તે સમસ્યા પણ નિવારી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial