Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રીજા માળે જઈ લગાવી લીધી મોતની છલાંગઃ
જામનગર તા. ૧૨: જામનગરના એક વૃદ્ધે આંખે દેખાતું ન હોવા ઉપરાંત બ્લડ પ્રેશરની બીમારીના કારણે કંટાળી જઈ શનિવારે પોતાના ઘરના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી. પટકાઈ પડેલા આ વૃદ્ધનંુ માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારથી આગળ એમયુઝમેન્ટ પાર્ક નજીક આવેલી રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા માવજીભાઈ રામજી ભાઈ પીછાવડીયા નામના ૮૫ વર્ષના વૃદ્ધે શનિવારે બપોરે પોતાના ઘરે ત્રીજા માળે જઈ ત્યાંથી ભૂસકો માર્યાે હતો.
તેઓનું જોશભેર જમીન પર પટકાઈ પડતા માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર રાજેશભાઈ માવજીભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે. જેમાં જણાવવામાં આવ્યા મુજબ માવજીભાઈને બરાબર દેખાતું ન હતું અને બ્લડપ્રેશરની બીમારી પણ વળગી હોવાથી આ વૃદ્ધ સતત ચિંતા અનુભવતા હતા અને અવારનવાર મરી જવાની વાતો કરતા હતા.
તે દરમિયાન શનિવારે સવારે આ વૃદ્ધે પોતાના મકાનના ત્રીજા માળે જઈ મોતની છલાંગ લગાવી લીધી હતી. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial