Advertisement
Author: નોબત સમાચાર

પોલીસ વાનમાં તોડફોડ તથા ફરજ રૂકાવટના ગુન્હામાં ૧૩ આરોપીનો અદાલત દ્વારા છૂટકારો

સાત વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૫: જામનગરની રંગમતી નદીના પટમાં સાત વર્ષ પહેલાં ટોળાએ પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી તોડફોડ કર્યાનો ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હામાં એક અગ્રણી સહિતના ૧૩ આરોપીનો છૂટકારો ફરમાવાયો છે.

જામનગરની રંગમતી નદીના ૫ટમાં સરકાર દ્વારા ગઈ તા.૨૫-પ-૧૮ના દીને સફાઈ કામ કરાવવામાં આવતું હતું ત્યારે તે કામના વિરોધ માટે ટોળુ એકઠું થયું હતું અને દેવશીભાઈ જેઠાભાઈ ધુલીયા નામના વ્યક્તિએ પોતાના વિરોધને વ્યક્ત કરવા જવલનશીલ પ્રવાહી છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યાે હતો.

આ વેળાએ પોલીસે તેને અટકાવતા ટોળાએ પોલીસના વાહનનો ઘેરાવ કરી કાચ ફોડી નાખ્યો હતો અને વાહનની ચાવી ભાંગી નાખી હતી. પથ્થરમારો કરી પોલીસકર્મીઓને પણ ધક્કે ચઢાવાયા હતા.

ઉપરોક્ત બાબતે પબ્લિકની પ્રોપર્ટીમાં નુકસાન તેમજ ફરજ રૂકાવટ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ૧૩ સામે ગુન્હો નોંધાયો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી દેવશીભાઈ ધુલીયા સહિતના આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ સંજય દાઉદીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh