Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીઈઓને પત્ર લખી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત
જામનગર તા. ૪: દિવાળી વેકેશનમાં પણ અમુક ખાનગી સ્કૂલો ચાલુ કરવામાં આવતા એબીવીપીના કાર્યકરોએ જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવી નિયમ મુજબ કાર્યવાહી કરવા માગણી કરી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગરના નગરમંત્રી ઉત્સવ પંડ્યા સહિતનાઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, ર૧ દિવસનું દિવાળી વેકેશન શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયું છે. એટલે કે તા. ૬-૧૧-ર૦રપ સુધી વેકેશન છે. આમ છતાં શહેરમાં અમુક ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત જાહેર રજામાં પણ શાળા ચાલુ રાખવામાં આવે છે. આથી વેકેશનમાં ચાલતી શાળાઓ બંધ કરાવવામાં આવે અને જો ર૪ કલાકમાં આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચારવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial