Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃત્યુ નિપજતા પોલીસને જાણ કરાઈઃ
જામનગર તા. ૧૫: લાલપુરના એક પ્રૌઢ દોઢેક મહિના પહેલાં એક ખેતરે સૂતા હતા ત્યારે તેઓને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. લાલપુર શહેરના આંબેડકરવાસમાં આવેલી દરબાર શેરીમાં રહેતા રમેશભાઈ દેવશીભાઈ વાઘેલા (ઉ.વ.પ૩) નામના પ્રૌઢ પોતે જે ખેતર ભાગમાં વાવવા માટે રાખ્યું હતું. તે ખેતરે ગઈ તા.ર૯ સપ્ટેમ્બરની રાત્રે સૂવા ગયા હતા. આ વેળાએ તેઓને ઝેરી સર્પ કરડી જતા રમેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યાનું હીરાભાઈ દેવશીભાઈ વાઘેલાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial