Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહી તથા ફીણ નીકળ્યા પછી વૃદ્ધાનું મૃત્યુઃ
જામનગર તા. ૨૦: ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામના એક યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈ જલદ પ્રવાહી પી લઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે મ્હોંમાંથી લોહી તથા ફીણ નીકળવા માંડતા સારવારમાં જામનગર ખસેડાયેલા મીઠાપુરના વૃદ્ધાનું મૃત્યુ થયું છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામમાં રહેતા રામદેભાઈ ખીમાભાઈ કરંગીયા (ઉ.વ.૩૫) નામના યુવાન કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. તેઓને સારવાર આપવામાં આવી રહી હતી. તેમ છતાં સારૃં થતું ન હોવાથી કંટાળી જઈ આ યુવાને દોઢ મહિના પહેલાં પોતાના ખેતરે જઈ કોઈ જલદ પ્રવાહી પી લીધુ હતું.
સારવારમાં ખસેડવામાં આવેલા રામદેભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની જસુબેને પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓખામંડળમાં આવેલા મીઠાપુરમાં ટાટા ટાઉનશીપમાં પીજેક્યુ કવાર્ટરમાં રહેતા દેવીબેન હમીરભાઈ ચાનપા (ઉ.વ.૬૮) નામના વૃદ્ધાને શુક્રવારે બપોરે અચાનક મ્હોંમાંથી ફીણની સાથે લોહી નીકળવા માંડતા તેઓને સારવાર માટે તાતાની હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયાનંુ પુત્ર પરબતભાઈ ચાનપાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial