Advertisement
Author: નોબત સમાચાર

શિવાંશ ફાઉન્ડેશન દ્વારા બાય-બાય નવરાત્રિ

અબોલ જીવો અને જરૂરતમંદોના લાભાર્થે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના શિવાંશ ફાઉન્ડેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા અબોલ જીવો અને જરૂરતમંદોના લાભાર્થે એક દિવસીય બાય-બાય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અતિથિ રાજકોટના ભાગવત કથાકાર શાસ્ત્રીજી અજયભાઈ ભટ્ટ, બાળ કલાકાર અભિનવ આહિર, ગુજ્જુ દયાબેન તરીકે જાણીતા કલાકાર કાજલ રામાનંદી ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં હાજર રહેલા તમામ લોકોએ મોડીરાત સુધીના આ કલાકારો સાથે મનભરી ગરબે ઘૂમી આનંદ માણ્યો હતો. તેમજ અબોલ જીવ, જરૂરિયાતમંદોની સેવાના સંકલ્પ સાથે યોજાયેલી આ નવરાત્રિમાં વિજેતા ખેલૈયાઓને ઈનામ વિતરણ જામનગરના જાણીતા યુવા બ્રહ્મ અગ્રણી અને સામાજિક કાર્યકર દેવેનભાઈ જોષી તરફથી કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh