Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં થોડા દિવસો પહેલા ચેકીંગ દરમિયાન
જામનગર તા. રપઃ જામનગરમાં થોડા દિવસ પહેલા જીએસટીની ટીમે ચેકીંગ કર્યું હતું, અને આઠેક વાહનોમાં ભરેલ બ્રાસપાર્ટસનો આધાર-પુરાવા વગરનો જથ્થો કબજે કર્યો હતો. જે અંગે ૩૦ લાખની રકમ જમા કરાવાયા પછી આ માલસામાન મુક્ત કરવામાં આવ્યો હતો.
એકાદ સપ્તાહ પહેલા જીએસટીની ચેકીંગ સ્ક્વોડ દ્વારા જામનગરમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું અને સાંઢિયા પુલ પાસેથી પસાર થતા અનેક વાહનો ના રોક્યા હતાં અને જેમાં ભરેલા બ્રાસપાર્ટસના માલસામાન અંગે ચકાસણી કરી હતી, જેમાંથી આઠ વાહનોમાં ભરેલ બ્રાસપાર્ટસના માલસામાન અંગે જરૂરી ચલણ રજૂ નહી થતાં તેમાંથી ૩૬૦૦ કિલો બ્રાસપાર્ટસનો જથ્થો સ્થગિત કર્યો હતો.
આખરે વેપારીઓ દ્વારા રૂ. ૩૦ લાખની પેનલ્ટી સહિતની રકમ જમા કરાવાયા પછી આખરે આ માલસામાન મુક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial